નીરજ ચોપરા બન્યા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ, રાજનાથ સિંહ અને સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોપ્યું પદ

By: Nation Gujarat Team
22 Oct, 2025
Neeraj Chopra: ભારતના સ્ટાર જવેલીન થ્રોવર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ત્યારથી, તે સતત આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું સન્માન કરી રહ્યા છે. હવે, નીરજ ચોપરાને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, નીરજ 26 ઓગસ્ટ, 2016 ના રોજ નાયબ સુબેદારના રેન્ક પર ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા. વર્ષોથી, તેમણે રેન્કમાં પ્રગતિ કરી છે, 2021 માં સુબેદાર અને 2022 માં સુબેદાર મેજર તરીકે પ્રમોશન મેળવ્યું છે.
નીરજને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા

નીરજ ચોપરાને તેમની શાનદાર કારકિર્દી અને સિદ્ધિઓ માટે અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ તેમને 2018 માં અર્જુન પુરસ્કાર, 2021 માં ખેલ રત્ન અને ભારતીય સેનાના સર્વોચ્ચ શાંતિ સમયના પુરસ્કાર પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક મળ્યો હતો. 2022 માં, નીરજને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.તાજેતરમાં, નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, પરંતુ મેડલ જીતવામાં નિષ્ફળ ગયો હતો. નીરજ 84.03 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે આઠમા સ્થાને રહ્યો હતો.

Related Posts

Load more